Ticker

10/recent/ticker-posts

Ad Code

Join Now

તમારા મોબાઈલ પર ખુબ ઉપયોગી અપડેટ્સ અને જાણકારી મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારી વૉટ્સઅપ ચેનલમાં જોડાવ.                                                                       Join Whatsapp Channel

તમારા પર પણ લક્ષ્મીજી ચાર હાથે વરસાવશે ધન, એવો ચમત્કારી છે આ ઉપાય

ધનનો અભાવ એવી સમસ્યા છે જેમાં ફસાયેલી વ્યક્તિ કોઈપણ અનર્થ કરી શકે છે. જો જીવનયાપન કરવા માટે પૂરતા પ્રમાણમાં ધન વ્યક્તિ પાસે ન હોય તો તે ન કરવાના કામ કરીને પણ ધન કમાવાની લાલચમાં આવી જાય છે અને પાપના માર્ગે ચાલવા લાગે છે.


આવા માર્ગ પર ચાલનાર ક્ષણિક લાભ મેળવે તો પણ તેનું પરિણામ તો ખરાબ જ આવે છે. પરંતુ આપણે અહીં વાત એવા ઉપાયની કરવાની છે જે કોઈપણ જાતકને પતનના માર્ગેથી પણ પરત લાવી શકે છે. જી હાં શિવરાત્રિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ આ ઉપાયનો લાભ લઈ શકો છો.

ભગવાન ભોળાનાથ ભક્તોની પીડા હરવા માટે તત્પર રહે છે. તેમની ભક્તિ શ્રદ્ધાથી કરનારને તેનું ફળ અચૂક મળે છે. તો આ વર્ષે શિવરાત્રિ માત્ર ઉપવાસ અને શિવપૂજા કરીને નહીં પણ એક શુભ શરૂઆત કરીને ઉજવો. આ શુભ શરૂઆત છે દારિદ્રત દહન સ્તોત્રનો પાઠ. આ પાઠ નિયમિત રીતે બોલવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે.

એટલા માટે જ આ સ્તોત્રને દારિદ્ર દહન સ્તોત્ર કહેવામાં આવે છે. આમ તો આ પાઠ કરવાની શરૂઆત કોઈપણ વારથી તમે કરી શકો છો પરંતુ મહાશિવરાત્રિનો પર્વ આવે જ છે તો તે દિવસથી જ કરજો આ શુભ શરૂઆત જેથી શિવકૃપાથી તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ ટકી રહેશે.

દારિદ્રદહન સ્તોત્ર

વિશ્વેશ્વરાય નરકાર્ણવ તારણાય
કર્ણામૃતાય શશિશેખર ધારણાય |
કર્પૂરકાન્તિ ધવળાય જટાધરાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 1 ||

ગૌરીપ્રિયાય રજનીશ કળાધરાય
કાલાન્તકાય ભુજગાધિપ કંકણાય |
ગંગાધરાય ગજરાજ વિમર્ધનાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 2 ||

ભક્તપ્રિયાય ભવરોગ ભયાપહાય
ઉગ્રાય દુઃખ ભવસાગર તારણાય |
જ્યોતિર્મયાય ગુણનામ સુનૃત્યકાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 3 ||

ચર્માંબરાય શવભસ્મ વિલેપનાય
ફાલેક્ષણાય મણિકુંડલ મંડિતાય |
મંજીરપાદયુગળાય જટાધરાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 4 ||

પંચાનનાય ફણિરાજ વિભૂષણાય
હેમાંકુશાય ભુવનત્રય મંડિતાય
આનંદ ભૂમિ વરદાય તમોપયાય |
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 5 ||

ભાનુપ્રિયાય ભવસાગર તારણાય
કાલાન્તકાય કમલાસન પૂજિતાય |
નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 6 ||

રામપ્રિયાય રઘુનાથ વરપ્રદાય
નાગપ્રિયાય નરકાર્ણવ તારણાય |
પુણ્યાય પુણ્યભરિતાય સુરાર્ચિતાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 7 ||

મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય
ગીતાપ્રિયાય વૃષભેશ્વર વાહનાય |
માતંગચર્મ વસનાય મહેશ્વરાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 8 ||

વસિષ્ઠેન કૃતં સ્તોત્રં સર્વરોગ નિવારણમ |
સર્વસંપત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિ વર્ધનમ |
ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં ન હિ સ્વર્ગ મવાપ્નુયાત || 9 ||

|| ઇતિ શ્રી વસિષ્ઠ વિરચિતં દારિદ્ર્યદહન શિવસ્તોત્રમ સંપૂર્ણમ ||

Post a Comment

0 Comments